Φ अपना विषय खोजे

Tuesday, April 24, 2012

મોદીની ભૂમિકાવાળા SIT રિપોર્ટનો યૂપીની ચૂંટણીમાં ઉપયોગ થશે નહીં


sit report which investigate role of cm modi in riots will not be use in up election

ગુજરાતની 2002ના વર્ષમાં ઘટેલી ગોધરાકાંડ અને ત્યાર બાદના રમખાણોની ઘટના આજે પણ દીલમાં દર્દ બનીને ઉભરી આવે છે. પરંતુ આ કમનસીબ ઘટનાઓના દસ વર્ષ બાદ તે હવે ભૂતકાળ નથી, પરંતુ વોટ લણવાની ફેકટરી છે. જ્યારે મુસ્લિમ મતોની વાત હોય અને મુસ્લિમોને કોઈ ચોક્કસ પાર્ટી સામે ઉશ્કેરવાનો મામલો હોય, ત્યારે ગુજરાતની કમનસીબ ઘટનાઓનો ઉપયોગ કરવામાં આવતો હોવાની વાત ચર્ચામાં રહે છે.

કેટલાંક અહેવાલો પ્રમાણે, યૂપીની ચૂંટણીમાં અંદરખાને ગુજરાત રમખાણોની સીડીઓનો મુસ્લિમ વિસ્તારોમાં મતદાતાઓને ચોક્કસ દિશામાં પ્રેરીત કરવા માટે ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે 15મી ફેબ્રુઆરીએ યૂપીમાં ત્રીજા તબક્કાના મતદાન વખતે જ ગુજરાત રમખાણોમાં મોદી અને અન્ય પ્રભાવી વ્યક્તિઓની ભૂમિકાનો તપાસ કરતો રિપોર્ટ યોગાનુયોગ કોર્ટે જાકિયા જાફરી સહીતના અન્ય અરજદારો તીસ્તા સેતલવાડ અને મુકુલ સિંહાને હાલના તબક્કે આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. આ સંદર્ભે નિર્ણાયક સુનાવણી 29 ફેબ્રુઆરી અને 15 માર્ચે થશે.

જો ગુજરાત રમખાણોના મામલે એસઆઈટીની તપાસનો આખરી રિપોર્ટ કે જેમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને કથિતપણે ક્લિનચીટ આપવામાં આવી છે, તે જાહેર થઈ જાત તો તેના કેટલાંક ભાગોને મુસ્લિમ મતોના રાજકારણમાં રાજકીય ઉપયોગની સંભાવનાને નકારી શકાય તેમ નથી. ત્યારે હવે સીટના રિપોર્ટને સાર્વજનિક કરવો કે નહીં અને વકીલોને વાંચવા માટે આપવો કે નહીં તેની સુનાવણી 29 ફેબ્રુઆરીએ થશે. સીટ 15મી માર્ચ સુધીમાં બાકીના તમામ દસ્તાવેજો અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટ સમક્ષ રજૂ કરશે.

up votersબીજી તરફ ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી સાત તબક્કામાં થઈ રહી છે. જેમાં જાકિયા જાફરીની સીટનો રિપોર્ટ માંગતી અરજીની બુધવારની સુનાવણીના દિવસે ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું હતું. જ્યારે એસઆઈટીના સીલબંધ કવરમાં અમદાવાદની મેટ્રો કોર્ટમાં રિપોર્ટ સંદર્ભે સુનાવણી વખતે 8મી ફેબ્રુઆરીએ યૂપીમાં પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું. 11 ફેબ્રુઆરીમાં યૂપીમાં બીજા તબક્કાનું મતદાન થયું અને જાકિયા જાફરી તથા અન્યોને રિપોર્ટની નકલ આપવાની સુનાવણી 13મી માર્ચે થઈ. પરંતુ ત્યારે પણ કોર્ટે યોગાનુયોગ નિર્ણય આપ્યો નહીં અને સુનાવણી 15 ફેબ્રુઆરીએ કરવાનું ઠેરવ્યું.

જો કે 15 ફેબ્રુઆરીએ કોર્ટે કાયદાકીય અને ટેકનિકલ કારણોને ધ્યાનમાં રાખીને અરજદારોને રિપોર્ટ માંગવાની અરજી ફગાવી દીધી. હવે તમામ નિર્ણય 29 ફેબ્રુઆરી અને 15 માર્ચની તારીખો પર છે. 29 ફેબ્રુઆરી બાદ 3 માર્ચે ઉત્તર પ્રદેશમાં અંતિમ તબક્કાનું મતદાન થવાનું છે. જ્યારે યૂપી સહીત પાંચ રાજ્યોમાં મતગણતરી 6 માર્ચે પૂર્ણ થવાની છે. ત્યારે ગુલમર્ગ કાંડના ફરીયાદી જાકિયા જાફરીને એસઆઈટીમાં મોદીની કથિત ભૂમિકાવાળો રિપોર્ટ આપવા સંદર્ભે 15 માર્ચ પછી કોર્ટ નિર્ણય કરશે.

કોર્ટની કાર્યવાહીને કારણે યોગાનુયોગ એવી પરિસ્થિતિ ઉભી થઈ છે કે ગુલમર્ગ કાંડ અને ગુજરાત રમખાણો પરના એસઆઈટી રિપોર્ટનો ઉપયોગ રાજકીય કારણોસર કોઈના પક્ષમાં કે વિપક્ષમાં કોઈ વ્યક્તિ, સંગઠન કે પક્ષ દ્વારા થઈ શકે તેમ નથી.

ઉલ્લેખનીય છે કે યૂપીની ચૂંટણી દરમિયાન 139 બેઠકો પર નિર્ણાયક ભૂમિકામાં રહેલા રાજ્યના 19 ટકા મુસ્લિમ મતોને દરેક રાજકીય પક્ષ ઘણું વધારે મહત્વ આપી રહ્યા છે. જયપુરના સાહિત્ય ઉત્સવમાં પ્રતિબંધિત સેતાનિક વર્સિસના લેખક સલમાન રશ્દીને નહીં આવવા દેવાની વાત, મુસ્લિમોને અનામત સંબંધી નિવેદનો, બટલા હાઉસ એન્કાઉન્ટરના મામલે નિવેદનબાજી અને ગુજરાત રમખાણો હજી પણ ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં મુસ્લિમ મતોને ચોક્કસ દિશા આપવા માટેના મોટા હથિયાર સાબિત થાય તેવી પરિસ્થિતિ છે. તેમાં વિશિષ્ટ ઈમેજ સાથે પ્રચારીત કરાયેલા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સંડોવતો એસઆઈટીનો રિપોર્ટ યૂપીના ચૂંટણી રાજકારણમાં રાજકીય રોટલા શેકતા પક્ષો માટે મોટું હથિયાર સાબિત થઈ શકે તેમ હતું. પરંતુ હવે યોગાનુયોગ તે રિપોર્ટનો યૂપીની ચૂંટણીમાં રાજકીય ઉપયોગ થઈ શકશે નહીં.

No comments:

Post a Comment