Φ अपना विषय खोजे

Saturday, April 14, 2012

હિંદુત્વના નામે પ્રભાવ ખૂબ ટૂંકાગાળા માટે અને સીમિત રહ્યો છે.

ભારતનું દુર્ભાગ્ય રહ્યું છે કે દેશના રાજકારણ પર હિંદુઓનો હિંદુત્વના નામે પ્રભાવ ખૂબ ટૂંકાગાળા માટે અને સીમિત રહ્યો છે. આઝાદી પહેલા ભારતમાં હિંદુત્વના આધારવાળો રાષ્ટ્રવાદ ઉગ્ર બન્યો અને તેને કારણે ભારતે અંગ્રેજોની ગુલામીની બેડીઓ તોડવા માટે ઉદ્યમ આદર્યો. પરંતુ ગાંધીના ભારત આગમનથી દેશની રાજનીતિમાં રાષ્ટ્રવાદી પરિબળોને મુસ્લિમ કટ્ટરપંથીઓ સામે હિંદુ-મુસ્લિમ એકતાના નામે ઘૂંટણિયે પાડવાની રાજનીતિ રાષ્ટ્રીય મજબૂરીના નામે શરૂ થઈ. આઝાદીના આંદોલન વખતે મુસ્લિમ રાજનીતિનો અખંડ ભારતમાં ઘણો મોટો પ્રભાવ હતો. અંગ્રેજોએ મુસ્લિમોને પોતાના તરફે કરીને આઝાદી માટે લડી રહેલા હિંદુઓ વિરુદ્ધ ઉભા કરી દીધા હતા. મુસ્લિમ લીગનો તેની સ્થાપનાના સમયે 1906થી મુસ્લિમ સમાજ પર મોટો પ્રભાવ હતો. મુસ્લિમ લીગ અંગ્રેજી શાસન સામેના કોઈ આંદોલનમાં ક્યારેય જોડાઈ ન હતી. ઉલ્લેખનીય છે કે અખંડ ભારતના 95 ટકાથી વધારે મુસ્લિમો 1947માં મુસ્લિમ લીગને ટેકો આપતા હતા. હિંદુઓએ ભારતની આઝાદીની જમીન તૈયાર કરી અને મુસ્લિમ લીગે 95 ટકા મુસ્લિમોના ટેકાથી 1947માં તેમની વસ્તીના પ્રમાણમાં ઘણું મોટું 25 ટકા સ્વતંત્ર ભૂમિ દેશ તરીકે અંકે કરીને અનામત મેળવી લીધું હતું. ખંડિત આઝાદી પછી ભારત હિંદુ દેશ જાહેર થયો નહીં અને સેક્યુલર કલેવર જાળવી રાખ્યું. તો પાકિસ્તાને ઈસ્લામિક દેશ તરીકેની પોતાની ઓળખ સાથે લઘુમતીઓ પર જુલમો કરીને 14 ટકા હિંદુઓના સ્થાને હાલની સ્થિતિ પ્રમાણે 2.5 ટકા હિંદુઓને નર્કાગાર જેવું જીવન જીવવા માટે મજબૂર કર્યા છે.

તેની સામે સેક્યુલર ભારતના તથાકથિત સેક્યુલર નેતાઓએ 1947થી જ મુસ્લિમો અને અન્ય લઘુમતીઓની વોટબેંક બનાવીને તેની આળપંપાળ કરીને તેમના તુષ્ટિકરણ કર્યા છે. 1989 સુધી ખૂબ મોટા લઘુમતી-મુસ્લિમ તુષ્ટિકરણ છતાં પરિસ્થિતિ દેશના કાબુમાં હતી. કારણ કે દેશની સંસદ અને ધારાસભાઓમાં મુસ્લિમો મોટી સંખ્યામાં જતા ન હતા. તેવામાં 1984થી શરૂ થયેલા રામજન્મભૂમિ મુક્તિ આંદોલને દેશના રાજકારણને હિંદુ દિશા આપી. પહેલી વખત હિંદુઓએ રામજન્મભૂમિની મુક્તિ માટે હિંદુ તરીકે હિંદુ હિતને ટેકો આપનારી પાર્ટી ભાજપની તરફેણમાં વોટિંગ કર્યું. વી. પી. સિંહના જનતાદળની સાથે જોડાણ કરીને ભાજપે કેન્દ્રમાં સત્તામાં ભાગીદારી કરી. પરંતુ વી. પી. સિંહની માનસિકતા હિંદુ પ્રભાવી રાજનીતિને જમીન પુરી નહીં પાડવાની હતી. તેમણે કમંડલ સામે મંડલ કાર્ડ ખેલીને હિંદુ સમાજને જાતિવાદી રાજકારણમાં વિભાજિત કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તેમ છતાં અડવાણીની રામરથ યાત્રાને ભારતમાં પ્રચંડ સમર્થન મળ્યું. તેનું પરિણામ ત્યાર પછીની રાજનીતિમાં દેખાવા લાગ્યું.

રામજન્મભૂમિ આંદોલનની સૌથી વધારે અસર ઉત્તર અને પશ્ચિમ ભારતમાં રહી. દક્ષિણ ભારતમાં તેને સમર્થન મળ્યું, પણ ત્યાંની પ્રાદેશિક રાજકીય દિશાને હિંદુત્વ તરફ વાળવામાં તે વખતે સફળતા મળી નહીં. 1992માં બાબરી ધ્વંસ કરીને હિંદુઓએ રાષ્ટ્રવાદની અભિવ્યક્તિ કરી. કારણ કે હુમલાખોર બાબરના સેનાપતિ મીર બાંકીએ ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરને નિર્મમતાથી ધ્વસ્ત કરીને તેના કાટમાળ પર બાબરી ઢાંચો ઉભો કરી દીધો હતો. હિંદુઓએ લગભગ 500 વર્ષ બાદ હુમલાખોર બાબરનો રાષ્ટ્રીય અપમાન સમો ઢાંચો હટાવી દીધો. બાબરી ઢાંચાની સાથે દેશમાં મુસ્લિમ તુષ્ટિકરણનું રાજકારણ પણ તેનો પ્રભાવ ગુમાવવા લાગ્યું. હિંદુ વોટબેંક મજબૂત બનવા લાગી અને તેની મુસ્લિમ તુષ્ટિકરણ કરનારા પક્ષોને પણ દરકાર થવા લાગી. 1998 સુધીમાં તો ઘોર મુસ્લિમ તુષ્ટિકરણ કરનારી કોંગ્રેસના દોઢા મુસ્લિમ નેતા ઠાકુર દિગ્વિજય સિંહે પણ મધ્ય પ્રદેશની ચૂંટણી જીતવા માટે સોફ્ટ હિંદુત્વ અપનાવાની શરૂઆત કરી. પરંતુ તેમને તેમા સફળતા મળી નહીં.
1998 અને 1999માં ભાજપના સેક્યુલર ચહેરા સમા અટલ બિહારી વાજપેયીની નેતૃત્વમાં એનડીએની સરકાર અસ્તિત્વમાં આવી. તે વખતે રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિર નિર્માણ, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ની નાબૂદી અને દેશમાં સમાન નાગરીક ધારો લાગુ કરવા જેવા પ્રખર રાષ્ટ્રવાદી મુદ્દાઓને સત્તાપિપાસુ ભાજપની લોબી કોમન મિનિમમ પ્રોગ્રામમાંથી બહાર રાખવામાં સફળ થઈ.

ત્યાર પછીનો જે દોર હતો તેમાં હિંદુ હિતની વાત કરનારા લોકો પણ મુસ્લિમ મતોની લાલસામાં તેમના તુષ્ટિકરણના માર્ગે ચાલવા લાગ્યા. કોંગ્રેસ કરતાં પણ મુસ્લિમોના વધારે નજીકના સગાં હોય તેમ વર્તવા લાગ્યા. મુસ્લિમ મતોના આધારે ચૂંટણી જીતના સમીકરણો રચવા લાગ્યા. 2004 પછી મુસ્લિમ મતોની લાલસામાં મુસ્લિમોની કટ્ટરવાદી રણનીતિને ભારતની રાજનીતિમાં ફરીથી સ્થાન મળવા લાગ્યું. સચ્ચર કમિટી અને ત્યાર બાદ રંગનાથ મિશ્ર પંચે મુસ્લિમ અને અન્ય લઘુમતીઓ માટે 15 ટકા અનામત અને અન્ય લાભો આપવાની ભલામણો કરી. સત્તામાં આવેલી કોંગ્રેસના વડપણવાળી યુપીએ સરકારે મુસ્લિમોની પોતાના જમાઈઓની જેમ આળપંપાળ કરવાની ચાલુ કરી.

રામજન્મભૂમિ આંદોલનને કારણે દેશમાં મુસ્લિમોની કટ્ટરપંથી રણનીતિ ભારતની રાજનીતિમાંથી શૂન્ય થઈ ગઈ હતી, તેને મુસ્લિમ મતોના દલાલો જેવા રાજકારણીઓએ ફરીથી પુનર્જીવિત કરી. મુસ્લિમ મતોના પ્રભાવથી ચૂંટાવામાં આ દલાલો ગર્વ કરવા લાગ્યા. રામરથ યાત્રા પર ચઢનારા લોકો પણ કહેવા લાગ્યા અમને પણ મુસ્લિમ મતો મળે છે. હિંદુત્વના સૌથી મજબૂત ગઢમાં પણ સદભાવનાની રાજરમત રમાવા લાગી. અહીં પણ 65 ટકા અને 30 ટકા મુસ્લિમ મતો મળતા હોવાની ગણતરીઓ થવા લાગી. દેશમાં હિંદુ આંદોલનના નબળા પડવાથી અને તેને રાજકીય મંચ નહીં મળવાથી મુસ્લિમ રાજનીતિ ફરીથી પ્રભાવી બનવા લાગી છે. મુસ્લિમોને નોકરીઓ અને શિક્ષણમાં અનામતની જાહેરાત કરવામાં આવી છે. હજી પણ મુસ્લિમોના કટ્ટરપંથી નેતાઓ પણ દેશના વહીવટી તંત્ર અને સંસદ-ધારાસભામાં પોતાનો સંપૂર્ણ પ્રભાવ પાથરવાના પ્રયત્નો કરી રહ્યા છે.

તર્કો આપવાના શરૂ થયા છે કે મુસ્લિમો દેશમાં અંદાજે 15 ટકા વસ્તી ધરાવે છે. પરંતુ તેમનું વહીવટી તંત્ર અને ધારાસભા-સંસદમાં વસ્તીના પ્રમાણમાં ભાગીદારી નથી. ભારતના બંધારણમાં ધર્મના આધારે કોઈપણ પ્રકારની ભાગીદારીનો નિષેધ કરવામાં આવ્યો છે. ભારતનો દરેક નાગરીક કાયદા સામે સમાન છે અને ભારતનો કાયદો દરેક નાગરીક માટે સમાન છે. તેમ છતાં દેશમાં ધર્મના નામે નવી વ્યૂહરચના સાથે બાબરી ઢાંચાના ધ્વંસ પછી મુસ્લિમો તેમની વોટબેંકના દલાલો સાથે નવી રણનીતિ સાથે રાજનીતિના આખાડામાં આવ્યા છે.

મુસ્લિમોની બાબરી ધ્વંસ પછીની રાજનીતિ રહી છે કે ગુપ્ત રણનીતિને આધારે સંસદ અને વિધાનસભામાં વધુમાં વધુ મુસ્લિમ ઉમેદવારો વિજય બને તેવી રાજકીય વ્યૂહરચના કરવી. ઉત્તર પ્રદેશની તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં મુસ્લિમ નેતાઓની આ ગુપ્ત વ્યૂહરચના સફળ થઈ છે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીઓના ઈતિહાસમાં આ વખતે સૌથી વધારે સંખ્યામાં મુસ્લિમ ઉમેદવારો ચૂંટાયા છે. તેમની સંખ્યા 70 થઈ છે. ભાજપને બાદ કરતાં લગભગ તમામ પક્ષોની ટિકિટ પર મુસ્લિમ ઉમેદવાર ચૂંટાયા છે. ખાસ વાત એ રહી છે કે મુસ્લિમ નેતાઓની મુસ્લિમોને મોટા પ્રમાણમાં ઉત્તર પ્રદેશની વિધાનસભામાં મોકલવાની ગુપ્ત રણનીતિની કોઈને ભનક સુદ્ધાં આવી નથી.

જ્યાં સુધી હિંદુ મતદાતાઓનો સવાલ છે તે મુસ્લિમોની પ્રતિક્રિયાના સ્વરૂપે એકજૂથ થઈ શકતા હતા. હિંદુઓ હિંદુ તરીકે મતદાન કરત તો યૂપી વિધાનસભામાં 70 મુસ્લિમ ઉમેદવારો ચૂંટાત નહીં. પરંતુ ભાજપના નેતાઓ પોતાના ચૂંટણી અભિયાનોમાં હિંદુ મતદાતાને હિંદુ તરીકે મતદાન કરાવવામાં નિષ્ફળ ગયા. જેના દુષ્પરિણામ ઉત્તર પ્રદેશથી આવવાના શરૂ થયા છે.

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં પ્રત્યેક પાર્ટીનો પ્રયત્ન રહ્યો હતો કે તેઓ મુસ્લિમોના મતોમાં વધારેમાં વધારે ભાગ પડાવે. તેનાકારણે સમાજવાદી પાર્ટીએ 82 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી, તેમાંથી 42 ઉમેદવારો ચૂંટાયા છે. બહુજન સમાજ પાર્ટીએ 85 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી, તેમાંથી 16 ઉમેદવારો વિજયી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ 62 મુસ્લિમ ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા, તેમાંથી માત્ર 6 મુસ્લિમ વિજયી રહ્યા છે.તેના સિવાય એક ડઝનથી વધે મુસ્લિમ પાર્ટીઓ મેદાનમાં ઉતરી હતી. પરંતુ તેમાંથી ત્રણ પાર્ટીઓને બાદ કરતાં કોઈ અન્ય પાર્ટીઓના ઉમેદવાર જીતવામાં સફળ થયા નથી. પીસ પાર્ટીના ચાર ધારાસભ્યોમાંથી ત્રણ મુસ્લિમ છે. અપના દળના બે મુસ્લિમ ઉમેદવાર યૂપી વિધાનસભામાં પહોંચ્યા છે.જ્યારે ઈતિહાદુલ્લ મિલલ્ત પાર્ટીનો એક ઉમેદવાર જીતવામાં સફળ થયો છે.

ઉપરોક્ત આંકડા પરથી સ્પષ્ટ છે કે એક નક્કી કરવામાં આવેલી પેટર્ન પ્રમાણે મુસ્લિમ મતદાતાઓએ એકજૂથ થઈને મુસ્લિમ ઉમેદવારોને વિજયી બનાવવા માટે વોટિંગ કર્યું હતું. યૂપીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી માયાવતીની પહેલી પ્રતિક્રિયા હતી કે 70 ટકા મુસ્લિમ મતદાતાઓએ સમાજવાદી પાર્ટીને મત આપ્યા છે. સમાજવાદી પાર્ટીને મુસ્લિમોએ ખોબલેને ખોબલે મત આપ્યા તેની પાછળનું કારણ એ છે કે મુસ્લિમોને લાગતું હતું કે યૂપીમાં માયાવતી પાસેથી મુલ્લાયમ સિંહ સમાજવાદી પાર્ટી સત્તા છીનવી શકે છે. માટે જો તેમને સત્તામાં ભાગીદારી કરવી હોય અને પોતાનો પ્રભાવ ચાલુ રાખવો હોય તો તેમણે સમાજવાદી પાર્ટીને વોટિંગ કરવું જોઈએ. યૂપીની વોટિંગ પેટર્ન પરથી મુસ્લિમોની રાજકીય સાક્ષરતાનો દર દર્શાવે છે. દેશમાં સાક્ષરતાના દરના સરેરાશ કરતા મુસ્લિમોમાં સાક્ષરતાનો દર નીચો છે. પરંતુ એક હકીકત એ છે કે દેશમાં રાજકીય સાક્ષરતના સરેરાશ કરતાં મુસ્લિમોની રાજકીય સાક્ષરતાનો દર ઘણો ઉંચો છે.

માયાવતીએ પોતાના શાસનકાળમાં દેશભરના ઉર્દૂ અખબારોમાં પૃષ્ઠોના પૃષ્ઠો ભરીને જાહેરાતો આપી હતી. મુસ્લિમોના ઉત્થાન માટે માયાવતી સરકારે લીધેલા પગલાને ખૂબ જોરશોરથી પ્રચારીત કરવામાં આવ્યા હતા. પરંતુ રાજકીય સાક્ષરતાનો ઉંચો દર ધરાવતા મુસ્લિમો યૂપીમાં માયાજાળમાં ફસાયા નહીં. તો કોંગ્રેસે અમૂલ બેબી રાહુલ ગાંધીના નેતૃત્વમાં દોઢા મુસ્લિમ નેતા દિગ્વિજય સિંહની આગેવાનીમાં મુસ્લિમ વોટો અંકે કરવા માટે પોતાની પુરી તાકાત લગાવી દીધી. ઉત્તર પ્રદેશની કોઈ એવી દરગાહ નથીજેના પર કોંગ્રેસના યુવરાજ અમૂલ બેબી રાહુલ ગાંધીએ હાજરી આપી ન હોય. દારુલ ઉલૂમ દેવબંધથી લઈને દારુલ ઉલૂમ નદવા સુધી કોઈ એવી પ્રભાવી મુસ્લિમ સંસ્થા બાકી બચી નથી જેના અગ્રણીઓના દરવાજે રહાલુ ગાંધી અને તેના દરબારીઓ સજદા કરવા પહોંચી ગયા ન હોય.

યુપીએ સરકારે મુસ્લિમ વોટબેંક અંકે કરવાની શતરંજમાં ઓબી અનામત ક્વોટામાંથી લઘુમતીઓને 4.5 ટકા સબક્વોટા આપવાની જાહેરાત કરીને રાષ્ટ્રઘાતક રાજકારણ ખેલ્યું.જો કે કોઈપણ મુસ્લિમ નેતા અથવા અખબારે કોંગ્રેસના આ પગલાંનું સ્વાગત કર્યું નથી. તેના કારણે લઘુમતી મામલાના મંત્રી જનાબ સલમાન ખુર્શિદે ઘોષણા કરવી પડી કે કોંગ્રેસ જીતશે તો મુસ્લિમોને 9 ટકા અનામત આપશે. તેમણે એવી પણ જાહેરાત કરી કે મુસ્લિમોના હિત માટે તેઓ ફાંસી પર ચઢવા માટે પણ તૈયાર છે. જ્યારે ચૂંટણી પંચે વાંધો લીધો, તો સલમાન ખુર્શિદ શહીદની અદાથી ટસના મસ થયા નહીં. ત્યાર બાદ બેનીપ્રસાદ વર્મા અને દિગ્વિજય સિંહ પોતાને દોઢા મુસ્લિમ નેતા સાબિત કરવા માટે નિવેદનો આપવાની દોડમાં સામેલ થયા.મુસ્લિમ મતો મેળવવા માટે ઓછી રાજકીય સમજ ધરાવતા અમૂલ બેબી રાહુલ ગાંધીએ એક નવો દાવ ખેલ્યો. તેમણે દિલ્હી અને ઉત્તર પ્રદેશના ઉર્દૂ ભાષાના અખબારોના પત્રકારોની સાથે મુલાકાત કરીને મુસ્લિમોને થઈ રહેલા તથાકથિત અન્યાયનું ઠીકરું વહીવટી તંત્રમાં કથિતપણે ઘૂસેલા આરએસએસની મનોવૃતિવાળા અધિકારીઓના માથે ફોડયું.

દોઢ ડાહ્યા મુસ્લિમ નેતા દિગ્વિજય સિંહે ઉત્તર પ્રદેશમાં મુસ્લિમ મતો લેવા માટે છેલ્લા બે વર્ષથી મોરચો સંભાળ્યો છે. તેમણે મુસ્લિમોની સહાનુભૂતિ એકઠી કરવા માટે આરએસએસ વિરુદ્ધ ઝેરીલો પ્રચાર કરીને ભગવા આતંકવાદની વિભાવના ઘડી નાખી. દિલ્હીના બટલા હાઉસ એન્કાઉન્ટરનો મુદ્દો ઉછાળ્યો અને આજમગઢની વારંવાર હજયાત્રા કરી. આ મામલામાં સલમાન ખુર્શિદ પણ પાછળ કેવી રીતે રહે. તેમણે પણ રહસ્યોદ્ધાટન કરી નાખ્યું કે તેઓ બટલા હાઉસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા બે વિદ્યાર્થીઓની તસવીર લઈને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના દરબારમાં હાજર થયા હતા. સોનિયા ગાંધી ઠાર થયેલા મુસ્લિમ વિદ્યાર્થીઓની તસવીરો જોઈને રડી પડયા હતા. મુસ્લિમ મતદાતાઓને પ્રભાવિત કરવા માટેની તમામ કોંગ્રેસી નોટંકી બેઅસર રહી. મુસ્લિમ મતદાતાઓને પ્રભાવિત કરવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડથી નજીકના મુસ્લિમ નેતાઓએ મક્કાના ઈમામને પણ મેદાનમાં ઉતાર્યા. આખરી તબક્કાના મતદાન પહેલા દિલ્હીના રામલીલા મેદાનમાં જમાતે અહિલે હદીશ તરફથી નમાજનું આયોજન કરવામાં આવ્યું. તેમાં ભાગ લેવા માટે પશ્ચિમી ઉત્તર પ્રદેશથી મુસ્લિમોને બસો ભરીને મોટી સંખ્યામાં નવી દિલ્હી લાવવામાં આવ્યા. આ સમારંભમાં કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી કપિલ સિબ્બલ પણ હાજર રહ્યા હતા. પરંતુ કોંગ્રેસનો મુસ્લિમ મતો અંકે કરવાનો ખેલ નિષ્ફળ રહ્યો.

કારણ કે રાજકીય સાક્ષરતા ધરાવતા મુસ્લિમોની રણનીતિ માયાવતીને સત્તાથી હટાવવાની હતી. પરંતુ તેઓ ઈચ્છતા ન હતા કે ભાજપ કોઈપણ કિંમતે સત્તાની નજીક પહોંચી શકે નહીં. તેમની નજરમાં કોંગ્રેસ અને અન્ય નાની-મોટી પાર્ટીઓ કોઈપણ કિંમતે સત્તામાં આવવાની સ્થિતિમાં ન હતી. મુસ્લિમ મજલિસ મિશરાવાતે ઉત્તર પ્રદેશના મુસ્લિમોને અપીલ કરી હતી કે તેઓ પોતાના વોટનો સમજી વિચારીને ઉપયોગ કરે. પોતાના મતને વિભાજિત કરીને વ્યર્થ કરે નહીં. તેઓ એવા મુસ્લિમ ઉમેદવારને પોતાનો મત આપે કે જે જીતવાની સ્થિતિમાં હોય. જો આ શક્ય ન હોય તો તેઓ સાચા સેક્યુલર (મુસ્લિમ તુષ્ટિકરણ કરતાં એમ વાંચવું) ઉમેદવારને પોતાનો વોટ આપીને તેને જીતવામાં સફળ બનાવે. કહેવામાં આવે છે કે યૂપીના ગામોમાં ફેલાયેલી મસ્જિદોના ઈમામોને પણ એ નિર્દેશ આપવામાં આવ્યો કે તેઓ મુસ્લિમ ઉમેદવારોને જીતાડવામાં કોઈ કોરકસર બાકી રાખે નહીં.

2007ની ચૂંટણીમાં યૂપીના મુસ્લિમોએ મુલાયમ સિંહ સામે કલ્યાણ સિંહની સાથેની તેમની દોસ્તીના કારણે નારાજગી વ્યક્ત કરી હતી. કારણ કે મુસ્લિમો બાબરી ધ્વંસ માટે યૂપીના તત્કાલિન મુખ્યમંત્રી કલ્યાણસિંહને દોષિત માને છે. તેથી તે વખતે સત્તામાં આવવાની શક્યતાવાળી બહુજન સમાજ પાર્ટીને તેમણે વોટ આપીને માયાવતીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. પરંતુ આ વખતે મુસ્લિમોમાં પોતાનો રંગ જમાવવા માટે મુલ્લાયમ સિંહે શાહી ઈમામ અહમદ બુખારી, આજમખાન અને શાહીદ સિદ્દીકી જેવા મુસ્લિમોને મેદાનમાં ઉતાર્યા હતા. મુલ્લાયમ સિંહે મુસ્લિમોને 18 ટકા અનામત અને 40 હજાર ઉર્દૂ શિક્ષકોની ભરતી કરવાનો વાયદો કર્યો હતો. તેથી મુસ્લિમોએ નાની-મોટી મુસ્લિમ પાર્ટીઓને નજરઅંદાજ કરીને મુલ્લાયમ સિંહની મતોની ભૂખ પોતાની રાજકીય હિતસાધના માટે સંતોષી.

મુસ્લિમ નેતાઓની રણનીતિ એ છે કે વધારેમાં વધારે મુસ્લિમ ધારાસભ્યો અને સાંસદો જીતીને ધારાસભાઓ અને સંસદમાં પહોંચે. જેથી એક પ્રેશર ગ્રુપ તરીકે સરકારી નીતિઓને અસર પહોંચાડી શકાય. જ્યાં સુધી ઉત્તર પ્રદેશમાં ચૂંટાનારા મુસ્લિમ ધારાસભ્યોનો સંબંધ છે, તેના સંદર્ભે આંકડા જોવા બેહદ જરૂરી છે. 1952માં 17, 1957માં 21, 1962માં 20, 1967માં 28, 1971માં 25, 1977માં 30, 1980માં 46, 1984માં 47, 1989માં 31, 1991માં 20, 1996માં 24, 1998માં 28, 1999માં 31, 2002માં 47, 2007માં 57 અને 2012માં 70 મુસ્લિમ ઉમેદવારો યૂપીની વિધાનસભાના ધારાસભ્ય બનવામાં સફળ થયા છે.

2012ની વિધાનસભામાં ઘણાં ઓછા માર્જિનથી હારનારા 68 મુસ્લિમ ઉમેદવારો છે. યૂપીમાં કુલ વસ્તીના 18 ટકા મુસ્લિમ મતદાતા છે. યૂપીની લગભગ 139 બેઠકો પર મુસ્લિમો ચૂંટણી સમીકરણો બનાવવા અને બગાડવા માટે સક્ષમ છે. દેશભરમાં સૌથી વધારે મુસ્લિમ મતદાતાઓ યૂપીમાં છે. જ્યારે રામજન્મભૂમિ આંદોલનને પરિણામે દેશમાં હિંદુત્વની રાજનીતિ ડ્રાઈવિંગ સીટ પર હતી, ત્યારે યૂપી અને દેશની લોકસભામાં મુસ્લિમોની સંખ્યા ઘટવા લાગી હતી. પરંતુ જેવા રાષ્ટ્રવાદી મુદ્દાઓને કોલ્ડબોક્ષમાં સત્તાપિપાસુઓએ પુરી દીધા છે, ત્યારથી મુસ્લિમો ધારાસભાઓ અને સંસદમાં મોટા પ્રમાણમાં પહોંચી રહ્યા છે. તેને કારણે મુસ્લિમ અનામતનું અને મુસ્લિમ તુષ્ટિકરણનું દેશવટો પામેલું રાજકારણ ફરીથી રાજકારણીઓની સદભાવના પામી રહ્યું છે.

આ દેશમાં મુસ્લિમો ક્યારેય તેમની કોઈપણ વૃતિથી 1857ને બાદ કરતાં રાષ્ટ્રીય પ્રવાહ સાથે રહ્યા નથી. તેને કારણે 1947થી દેશની વોટિંગ પેટર્ન દર્શાવે છે કે મુસ્લિમોએ રાષ્ટ્રીય હિત પ્રમાણે નહીં, પણ તેમના તુષ્ટિકરણ કરનારને જ વોટ આપ્યા છે. તેમની રાજકીય સાક્ષરતાને પરિણામે તેઓ રાજકીય પક્ષો પાસેથી પોતાના સમુદાયના હિતના એજન્ડા સિદ્ધ કરાવવામાં સફળ થતા રહે છે, પછી આ હિત એજન્ડાઓ રાષ્ટ્રહિત વિરુદ્ધના હોય તો પણ રાજકારણીઓ તેને મુસ્લિમ મતોને ખાતર મંજૂરી આપતા નજરે પડે છે. તેમા મુસ્લિમ અનામતની વાત તાજો દાખલો છે. શિક્ષણ અને નોકરીઓમાં મુસ્લિમોને ધર્મના નામે અનામત આપવાની વાત દૂર સુધી જઈ શકે છે. તેની રાજકીય સાક્ષરતા હિંદુ સમાજમાં પેદા કરવી જરૂરી છે. ભાજપને લઘુમતી અને મુસ્લિમ અનામતને ગેરબંધારણીય કહ્યું છે. પરંતુ લઘુમતી અને મુસ્લિમ અનામત હિંદુ વિરોધી હોવાની વાત હિંદુ સમુદાય સામે હિંમતથી મૂકી નથી. તેને કારણે ભાજપને હિંદુઓના મત હિંદુ તરીકે મળ્યા નથી. વળી છેલ્લા એક દાયકાથી ભાજપ તરફથી પણ હિંદુઓનો વિશ્વાસ તોડવાની કેટલીક ઘટનાઓ બની છે. જેને કારણે હિંદુ હિંદુ તરીકે વોટિંગ કરવાનું ભૂલી ગયો છે. તેનું કારણ છે કે હિંદુ હિતની વાતો કરનારા હવે મુસ્લિમ લીગ સાથે બેસવા લાગ્યા છે અને મુસ્લિમ મતોથી જીતવાની ગુલબાંગો પોકારી રહ્યા છે. ત્યારે દેશના રાજકારણમાં હિંદુઓની રાજકીય સાક્ષરતા વધે અને મુસ્લિમ પ્રભાવથી ચૂંટણી જીતનારા ઉમેદવારોનું પ્રમાણ ઘટે તેવી રણનીતિ પ્રમાણે હિંદુ નેતાઓએ આગળ વધવું સમયની માંગ છે. જો આમ નહીં થાય તો લોકસભાની ચૂંટણીમાં મુસ્લિમ વોટિંગની યૂપી પેટર્નનું પુનરાવર્તન થશે. લોકસભાની 543 બેઠકોમાંથી 100 બેઠકો મુસ્લિમ મતોના ચૂંટણી સમીકરણોવાળી છે. ત્યારે લોકસભામાં મુસ્લિમોના કટ્ટરવાદી નેતાઓ તેમના ગુપ્ત એજન્ડામાં સફળ ન થાય, તે જોવું હિંદુઓના રાજકીય હિતમાં છે.

No comments:

Post a Comment